દીકરી એ માં- બાપ ના કાળજાં નો કટકો , ભાઈ ના પ્રેમ ની મીઠી ડાળ જે હમેશા એને હિચાંકે જુલાવતો રહે છે। ....... દીકરી એટલે ત્યાગ અને સમર્પણ ની સાક્ષાત આબેહુબ મૂર્તિ। ...
જયારે દીકરી જન્મ થાય છે ત્યારે જ વિધાતા તેના પિતા થી એક વચન માંગતા હોય છે......... અને કહે છે કે મેં તને આ પૃથ્વી પર સ્વર્ગ નું સુખ આપ્યું છે પરંતુ મને એક વચન આપવાનું છે કે તારે એકદિવસ આ બાળકી ને બીજા ને ઘરે વિદાય કરવાની છે........ ત્યારે પિતા એ કહ્યું જો જોઈએ તો મારો લો જીવ લઇ પણ મારા કાળજા ના કટકા ને મારા થી અળગો ના કરો। .............. ત્યાર બાદ વિધાતા એ કહ્યું કઈક મેળવા માટે કઈક ગુમાવું પડે એતો કુદરત નિયમ છે અને। ......દીકરી એતો પારકી થાપણ આજે નહિ તો કાલે એના અન્ના પાણી જયાં લખાયા હશે તે ઘર મળી જ જશે....................... અને એ વખતે દીકરી ને હોશે હોશે પરિવાર ની દરેક વ્યક્તિ દીકરી ને લગન ના મંડપ માં પધારવા માટે ની તૈયારી માં લાગેલી હોય છે.અને જયારે વિદાય ની ઘડી આવે છે ત્યારે આખા પરિવાર ની કોઈ એક વય્ક્તિ એવી નહિ હોય કેજે આ દુખ માં શામિલ ના થઇ હોય। ........ દીકરી જન્મે છે કયા અને તેનું મર્ત્યું કયા થાય છે તે તેને પોતાને જ ખબર નથી હોતી।............. જે ઘરમાં તે જન્મી , મોટી થઇ , ભણી ગણી ને પગભર બની તેજ ઘર ને છોડવાની , પોતાના માં-બાપ ને છોડી ને બીજા ના માં- બાપ ને પોતાના કરીને અપનાવા ના આ બધું દીકરી સિવાય બીજું કોઈ જ આ જગત માં ના કરી સકે દીકરી એતો દયા નો વહેતો સાગર છે તેમાં ગમે તે નદી ભળી જાય છે.
દીકરી તારા સૌભાગ્ય નું સિંદુર આજે ધોળી છુ...................
વિધાતા ને તે શોધી લાવિયો છુ। ....................
કાળજા કેરા કટકા ને વેગળી નથી કરી કયારેય। .............
નાની હતી ત્યારે ખુબ જ જીદ કરતી તું હવે તું બહુ સમજદાર થઇ ગઈ છે
તેની મને આજે ખબર પડી તારી વિદાય ની આ વેળા
હૈયું કંપાવી જાય છે શા માટે ભગવાન એ આ રીવાજ બનાવીયો ????
તારી અને મારી જુદાઈ નું વચન કોઈ ને દઈ આવીયો છુ ..........
ઇચ્હવા છતા પણ જેને રોકી ના સકાય એવી દીકરી ની વિદાય। .........
એક તરફ ખુશી છે કે દીકરી પોતાનું ઘર સાંભળી લેશે તો બીજી તરફ
દુખ એ વાત છે કે આ ચેહરો હવે ખબર નહિ કયારે જોવા મળશે। .....
દીકરી એ પરિવાર ને જોડતો સેતુ છે
લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે
ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
દીકરી એ પરિવાર જોડતી એક કડી સમાન છે। ...જે ઘર માં જો દીકરી ના હોય તો તેવા ઘર માં કોઈ એકબીજા ને સમજાતું જ નથી પરિણામે સંબંધો નો અંત આવી જાય છે.દીકરી બધા જ સંબંધો ને ખુબ જ બારીકાઇ થી સંભાળે છે. દીકરી એકસાથે જ બે પરિવાર ને પોતાના પ્રેમ , લાગણી અને વાત્સલય થી જોડતી એક સેતુ સમાન છે। .... જો દીકરી ના હોય તો કદાચ બે પરિવાર પણ એકબીજાને ને મળ્યા ના હોત।.. .................
દીકરી એટલે પિતા ની હાશ અને દીકરો એટલે પિતાની આશ। ... દીકરો ભલે ગમે તેટલું કરી લેતો હોય માં-બાપ માટે છતાં પણ માં - બાપ ને સાસરે થી આવેલી દીકરી સાથે બેસી ને વાતો કરવાનુ ગણું જ ગમતું હોય દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે, સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતાશિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!
No comments:
Post a Comment