Powered By Blogger

Sunday 8 June 2014


મારી વ્હાલી દીકરી 


દીકરી એટલે લાગણીઓ નો ભંડાર , વાત્સલ્ય નો ખજાનો , સંવેદના નો સુર અને પ્રેમ નો એવો દરિયો કે જેનો કયારેય કિનારો જ નથી આવતો। ..







દીકરી નો  પ્રેમ પરિવાર ની દરેક વય્ક્તિ માટે દરિયા જેવો જ હોય છે. કેહવાય છે કે દીકરી હંમેશા પોતાના પપ્પા ની લાડકી હોય છે। ..... ભલે તે મમ્મી સાથે આખો દિવસ રહેતી હોય પણ પોતાના પિતા કયારે આવશે તે જ રાહ તે જોતી હોય છે। .....જયારે દીકરી નાની હોય છે ત્યારે તેના પપ્પા ઓંફિસ થી આવે   ત્યારે દીકરી ભલે ને તેની ગમે તેવી બહેનપણી  સાથે રમતી કેમ ના હોય તે ગમે ત્યાં થી આવી જાય છે અને કહે છે  "પપ્પા આવિયા પપ્પા આવિયા .." તેના આ ઉદગાર થી જ  સમજાઈ જાય છે કે દીકરી ને તેના પિતા પ્રત્યે કેટલી લાગણી અને  પ્રેમ છે અને આજ  દીકરી જયારે સાસરે થી આવે છે ત્યારે આજ પિતા જેમ કે પાનખર માં વરસાદ નું આગમન થયું હોય તેમ અતિ લાગણીશીલ  સ્વરે કેહતા હોય છે "અરે મારી   દીકરી આવી ગઈ......  " પિતા - અને દીકરી ના સંબંધ જ એવા છે કે તેમાં કોઈ પણ સ્વાર્થ  વગર ની લાગણી હોય છે.જયારે એક પિતા પોતાની દીકરી ને સાસરે વળાવે ત્યારે તે દીકરી ને  અતિ ભાવુક અને  છતા પણ આનંદ પૂર્વક વિદાય આપતા હોય છે
                     







દીકરી તારા જન્મ સમયે  એક વચન દીધું છે વિધાતા ને  ........
શા માટે મને આ સંસાર માં એ કામ કરવાનું કીધું છે
કદાચ આ દુનિયા નો દરેક બાપ ના ઈચ્છવા છતાં પણ હોંશે હોંશે કરતો હોય છે 
અરે કોણ કહે છે દીકરી સાપ નો ભારો છે ?????
દીકરી એ તો સાપ ના ભારા ને પણ પોતા ના પરિવાર માટે અપનાવી લે તેવી વ્યક્તિ છે 
દીકરી વગર ની દુનિયા એ કલ્પી ના શકાય તેવી  છે....
શા માટે લોકો દીકરીઓ ને  દુનિયા માં આવતા રોકે છે 
 તમારી માં એ તમને  મારી નાખીયા  હોત તો ???????????????

દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે... પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક તે ઘરડાં હોય તેવું તેમને લાગવા માંડે છે  દીકરા ના લગ્ન માં પિતા જાન માં નાચવાનું પણ ચુકતા નથી અતિ ઉત્સાહ ભેર પિતા દીકરાની જાન માં નાચતાં હોય છે પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ દીકરી ના લગ્ન માં પિતા મન મૂકી ને નાચ્યા હોય ?????? તો આનો જવાબ છે "ના" દીકરી ના લગ્ન માં પિતા પોતાની જાત ને વૃદ્ધ માનવા લાગે છે તેમને એવી લાગણી થવા લાગે છે જેમ કે મારા કાળજા ના  કટકા ના શી રીતે મારા થી અળગો કરૂ ?? જેને નાનપણ થી ભણાવી , ગણાવી ....સમાજ માં પગભર કરી તેજ દીકરી ને આમ અચાનક વિદાય આપી દેવી હું કઈ રીતે આ વસમી વિદાય ને આનંદ માં ફેરવી શકું........ છતાં પણ બધાં થી વધારે પિતા જ ખુશ હોય છે દીકરી ના લગ્ન માં દુખ તો એ વાત નું હોય છે હવે તે રોજ ની જેમ જીદ નહિ કરે અને પપ્પા..... પપ્પા  એમ પ્રેમ થી હવે રોજ આ પ્રેમ ભરેલા ઉદગાર   સાંભળવા નહિ મળે અને  પાણી નો ગ્લાસ હવે દીકરી ના હાથ નો ખબર નહિ ક્યારે મળશે ?? ???? આટલું બધું દુઃખ પોતાના હર્દય માં  હોય છે છતાં પણ પિતા ને એક વાત નું અભિમાન અને આનંદ હોય છે કે મારી દીકરી હવે પોતાનું ઘર સમ્ભાળી લેશે

પિતા વગર ની દીકરી ને પોતાના જીવન માં હમેશાં કંઈક ને કંઈક ખૂટતું હોય તેવો એહસાસ થયા કરે છે જયારે દીકરી વગર ના પિતા ને સતત ઘરમાં એક સમજુ વય્ક્તિ ની કમી લાગતી હોય છે.કારણ કે દીકરી ઘર ની  સમજુ છતાં પણ એક સહનશીલ વ્યક્તિ કેહવાય છે. 

પાંચ દીકરા નો બાપ હમેશા દુખી જ હોય છે પરંતુ પાંચ દીકરી ઓ નો બાપ કયારેય પણ દુખી હોતો નથી.તેને ગમે ત્યાં થી એ મળી જ જાય છે . છે દીકરી ને આપવા માટે દીકરી વિશે પ્રાચીન કાળ  થી ચાલ્યું આવ્યું છે  કેહવાય છે જે જો રાવણ ને એક દીકરી હોત તો એને સીતા નું હરણ ના કર્યું હોત અને જો દશરથ ને એક દીકરી હોત તો તેમનું પુત્ર વિયોગ માં મૃત્યુ પણ ના થયું હોત .... દીકરી એને કેહવાય જે બીજા ના ગરમા જએઈ ને દીવો કરે એને દીકરી કેહવાય.

દીકરી એ પિતા ની લાડકી હોય છે હમેશાં પિતાનું અને પુરા પરિવાર ની ગણી જ કાળજી પૂર્વક ધ્યાન રાખે છે પિતા માટે પણ પોતાના દીકરા કરતાં દીકરી વધારે વ્હાલી હોય છે કારણ કે દીકરો એ તો કાલે વહુ આવશે ત્યારે બદલાઈ જશે પણ દીકરી બીજા ના ઘરે જઈ ને પણ ક્યારેય પોતાના પિતા ને ભૂલતી નથી . પિતા ને સ્વર્ગ પૃથ્વી પર બતાવે તે એટલે દીકરી અને પિતા ને વૃધાશ્રમ બતાવે તે એટલે દીકરો  .....હંમેશા દીકરી ને  ગણો જ પ્રેમ આપો તે થોડા સમય ના પ્રેમ થી જ તેની સાસરી માં પોતાના પિતા નું નામે તારશે.દીકરીઓ એ ઘર ના આંગણમાં રમતી ચકલીઓ જેવી હોય છે આજે પિતા ના ઘરે છે તો કાલે બીજે ક્યાંક વસવાટ કરશે..






1 comment:

Anonymous said...

Nice ****