" ઘડપણ કોણે મોકલ્યું ? "
"દીકરા તો જૂજવા થયા રે, વહુવારું દે છે ગાળ દીકરીઓને જમાઈ લઈ ગયા , હવે ઘડપણના છે હાલ ?"
"દીકરા તો જૂજવા થયા રે, વહુવારું દે છે ગાળ દીકરીઓને જમાઈ લઈ ગયા , હવે ઘડપણના છે હાલ ?"
"ઘડપણ " આ શબ્દ સાંભળતાની સાથે જ આપણ ને એક ખૂણા માં અથવા મંદિર ના ઓટલા પર બેસેલા અને ભગવાન ના ભજન ગાતા આપણા વૃદ્ધ વડીલો નજર સમક્ષ આવવાં લાગે છે !. ઘડપણ બહુ જ દોહ્યુલું હોય છે.માણસ સાહીઠ વર્ષ વટાવે પછી બલ્ડપ્રેશર , ડાયાબીટીસ , વા , કોલેસ્ટ્રોલ , બાયપાસ સર્જરી જેવા ડરામણા શબ્દો નું બ્લેકમેલીંગ શરુ થઇ જાય છે. સામાન્ય રીતે ઘણા લોકો એવો માનતા હોય છે કે છોકરા ના છોકરા આવી ગયા એટલે હવે મંદિર મહાદેવ કરવાનું અને ઘડપણ આવી ગયું !. પરંતુ આ તદન ખોટી વિચારસરણી છે જય સુધી વય્ક્તિ નું મન યુવાન છે ત્યાં સુધી તેને ઘડપણ શબ્દ અસર નથી કરી સકતો !..
આજના બદલાતા યુગ માં રોજગારી મેળવા માટે ગામડા માંથી શહેર માં આવતા થયા છે. પરિવાર માં દીકરો અને વહુ બને નોકરી કરતા હોય અને ત્યારે ગામડા માં રેહતા માં - બાપ ને શહેર માં લાવીને સાથે રાખવા એ જાણે કે મજબૂરી બની ગઈ છે આવા સંજોગો માં સાથે રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રેહતો , મને - કમને માં - બાપ ને સાથે રાખવા જ પડે છે પરિણામે રોજ સર્જાય છે કલેશ અને કંકાશ !..
પરિણામે દીકરો માં - બાપ ને એક એવી જગ્યા એ રેહવા માટે મૂકી આવે છે જયાં ગણા બધા લોકો એકસાથે રેહતા હોય.. તેને કેહવાય છે વૃધાશ્રમ !... કદાચ આપણા જ લોકો ના આધુનિક વિચારો ને કારણે આજે આપના દેશ માં વૃદ્ધાશ્રમ ની સંખ્યા અનાથાશ્રમ કરતા પણ ત્રણ ગણી વધી ગઈ છે . જ માં - બાપ એ આપણ ને આંગળી પકડી ને ચાલતા શીખ્વાડીયું તેજ માં - બાપ ને આપને વૃધાવ્સથા માં આંગળી પકડી ને વૃધાશ્રમ માં મૂકી આવતા હોઈએ છીએ !.. શા માટે ???? એક માં -બાપ ચાર બાળકો નો પ્રેમ થી ઉછેર કરી શકે છે પણ ચાર બાળકો એક માં -બાપ ને સાચવી નથી સકતા.... શું આને આધુનિકતા કેહવાય ????? આધુનિકતા ની હરીફાઈ માં આપને આપણા સંસ્કારો ને પાચલ છોડતા જઈએ છીએ !... પણ એ કયારેય નથી વિચાર્યું કે આ દુનિયા માં ભલે ગમે તેટલા આગળ વધીશું.... ગમે તેટલા.. મોડર્ન બનીશું પણ આપણે આપણા સંસ્કારો ને કયારેય પણ ના ભૂલવા જોઈએ !....
"જે દીકરાઓ માં - બાપ ને વૃધાશ્રમ માં મૂકી આવે છે તે દીકરા ઓ માટે તેમની વૃધાવ્સ્થા ના સમય માં વૃધાશ્રમ માં પણ જગ્યા નથી મળતી !... માં - બાપ ની સેવા કરીશું તો ભગવાન માટે જાત્રા કરવાની જરૂર નહિ પડે "
આખી જીંદગી કરેલી ભાગદોડ નો આરામ કરવાની અવસ્થા એટલે ઘડપણ !.. વ્યક્તિ આખી જીંદગી ભાગતો જ રહે છે એક ઘડપણ જ એવું છે કે જયારે તેને આખી જીંદગી નો અઆરમ કરવાની તક મળે છે પરંતુ !... સંતાનો ને તો આ આરામ ઘરમાં કુચતો હોય તેવું લાગે છે !..... વ્યક્તિ જયારે ઘરડી થાય છે ત્યારે તેની કીમત આપોઆપ જ ઘટી જાય છે !... ઘરમાં એક ફાટેલી - તૂટેલી ખાટલી માં સુવા માટે સ્થાન આપવામાં આવે છે ! ...આવું બધું ઘણા બધા ઘરો માં થતું હોય છે !..જે બાળકો માં - બાપ ને સાચવી નથી સકતા તે સંતાનો ને તો ભગવાન પણ કયારેય સાચવતાં નથી !... જે વ્યક્તિ એ આ દુનિયા માં પેહલું વૃધાશ્રમ બનાવિયું હશે તે વ્યક્તિ ખરેખર કઠણ કાળજા ધરાવતી હશે.........
જે માં - બાપ દીકરા ને ભણાવી ગણાવી ને મોટો કરે છે , સમાજ મા મોભો અપાવે છે તે જ દીકરો મોટો થઇ ને માં - બાપ ને ગર ની બહાર કાઢી મુકે છે આના થી મોટી કરુણતા આ દુનિયા માં બીજી શું હોઈ સકે। ... આ દુનિયા માં ભગવાન બધી જ જગ્યા એ નથી પહોચી શકતા માટે જ તેમને માં - બાપ ને બનાવીયા છે જેથી આપણે આપની જીંદગી માં જો ભટકી જઈએ તો આ ભગવાન આપણ ને રસ્તો બતાવે પણ આપણો આ કેહ્વતો દંભી સમાજ પોતાના ભગવાન રૂપી માં -બાપ ને વૃદ્ધાશ્રમ જેવી જગ્યા એ મૂકી આવે છે જયા તેમને દાદા-દાદી જેવા મધુર શબ્દો પણ સાંભળવા નથી મળતાં !..........ઘરડા ઘડપણ માં કોઈ વ્યક્તિ પાસે થી થોડી ગણી હુંફ કે પ્રેમ મળે તો જેમ કે મન નાના બાળક ની જેમ ખીલી ઉઠે છે !.. ઘડપણ માં વ્યક્તિ નાના બાળક જેવી બની જાય છે !.. બસ આપણે તેમને સાચવી નથી સકતા શા માટે ???? જયારે આપણા માં સમજણ નહોતી ત્યારે આજ માં - બાપ આપણ ને સાચવતા હતા !... પ્રેમ આપતા હતા !... ગણી બધી ભૂલો ને નજરઅંદાજ કરતા પણ આપણે તો એમની એક ભૂલ માં જ વૃધાશ્રમ નો દરવાજો બતાવી દઈએ છીએ !......
માં - બાપ ની સેવા બધા ના નસીબ માં નથી હોતી !... ભાગ્યશાળી વ્યક્તિ ને જ સેવા નો લ્હાવો મળે છે !... ઉમરા વાળી "માં " ને પ્રેમ થી સાચવશો તો ડુંગરા વાળી માં આપોઆપ પ્રસન્ન થઇ જશે !....
નહોતું જોઈતું ને શીદ આપ્યું ?? નહોતી જોઈ તારી વાટ ! ઘડપણ કોને મોકલ્યું ?????