Powered By Blogger

Friday, 25 April 2014

જોવો તો એક સપનું છે જીંદગી વાંચો તો એક પુસ્તક છે જીંદગી સાંભળો તો એક જ્ઞાન છે જીંદગી। જો હસી ને જીવીયે તો વાહ ક્યાં બાત હે જીંદગી। ...



જીંદગી શું છે ?????????????? 



" જીંદગી એટલે શું ????? નસીબ ,સંબંધ ,પ્રેમ થોડી લાગણી થોડો ગુસ્સો અને થોડું comrpmise 


જયારે તમે ખુશ હોવ ત્યારે બહુ જ સુંદર છે જીંદગી। ..

જયારે તમે ઉદાસ હોવ ત્યારે ગણી જ દુખ ભરેલી છે જીંદગી।...

જયારે મન વિચારો માં ખોવાયેલું હોય ત્યારે ગણી એક કોયડો છે જીંદગી। ..

જયારે સમય ખરાબ હોય ત્યારે , મુશ્કેલીઓ થી લડતા રહી ને ખુશ રેહવાનું નામે છે જીંદગી। ..

જયારે કોઈ ને ગણું બધું કેહવું હોય , છતા પણ ચુપ રેહવું પડે તેનું નામે જીંદગી।....

જયારે ગણું બધું સહન કરવું પડે , અને છતાં પણ લાચાર હોવાનો એહસાસ તેનું નામે જીંદગી। ...

જયારે દુનિયા સાચી છે તેવું લાગે , ત્યારે કંઈક રહસ્ય છુપાયેલું છે તેનું નામ જીંદગી। .......

જયારે કઈ સમજાય નહિ , અને અનંત સુધી અંધારું દેખાય તેનું નામે જીંદગી। ...

જયારે રસ્તો મળી જાય , ત્યારે એક નવી સવાર છે જીંદગી। ...

દિલ માં કોઈ નો ચેહરો છુપાઈ ને , એકાંત માં રડવું તેનું નામ છે જીંદગી। ........

કોઈ ની એક જલક જોવા માટે સતત , રાહ જોયા કરવી તેનું નામ એટલે જીંદગી। .......

કોઈ ની ખુશી માટે હંમેશા હાથ જોડીને પ્રાર્થના કરવી એટલે જીંદગી। ......

કોઈ ની ખુશી માટે જીવન સમર્પિત કરી દેવું તેનું નામ જીંદગી। .........

કોઈ ની લાગણીઓ ને શબ્દો થી નહિ પણ દિલ થી સમજી ને માન આપવું તેનું નામ જીંદગી। .......

જીંદગી માં જે મળ્યું ના હોય છતાં પણ મળ્યાં નો આનંદ માણવો તેનું નામ જીંદગી। ..........

કોઈ ની હાથ ની રેખાઓ માં હોવું પણ નસીબ માં ના હોવું તેનું નામે જીંદગી। ........

દુર રહી ને પણ સાથે રેહવાનો એહસાસ એટલે જીંદગી। .....

ના ગમતાં લોકો ને ગમતાં કરવા અને ગમતાં લોકો ને અણગમતા કરવાં એટલે જીંદગી। ........

પ્રેમ કરતાં હોઈએ તેવી વ્યક્તિ ને છોડી ને બીજી વ્યક્તિ ને પ્રેમ કરવાનો પ્રયત્ન કરવો એટલે જીંદગી। ........

ગણું બધું દુખ હોવાં છતા પણ હસતાં રેહવાનો દેખાડો કરવો એટલે જીંદગી। ........

આપણા માટે નહિ પરંતુ બીજી ના માટે વિચારવાનું તેનું નામ એટલે જીંદગી। .......

જયારે દિલ કોઈ નો ચેહરો જન્ખ્તું હોય અને અચાનક તે વ્યક્તિ સામે આવી જાય તેનું નામ જીંદગી। .........

રસ્તાઓ ગણા બધા છે પણ આપણ ને નસીબ ક્યાં લઇ જાય છે તેનું નામ જીંદગી। ......

ગમતા સરનામે ઘર બની જાય તો અવતાર સફળ થયાની અનુભૂતિ છે જીંદગી। .......

સપનાઓ ગણા બધા હોય પણ જે પુરા થાય તે નસીબ છે જીંદગી। .......

તૂટેલા સપના ઓ ને ફરી જીવંત કરવા માટે પ્રય્તનો કરતાં રેહવું તેનું નામ એટલે જીંદગી। .....

આમ જોઈએ તો ગણી જ સુંદર છે જીંદગીરૂપી દરિયા માં  , ભરતી અને ઓટ તો આવિયા જ કરે પણ સુનામી સામે લડવાની।..... તાકાત ધરાવે છે જીંદગી

સાચું પૂછો તો મિત્રો। ..... 


"સમય ના સાંચા માં પોતાની જાત ને ઢાળી દેવી એટલે જીંદગી "




જીંદગી માં હમેશાં હસતા રહો ભલે , પરીસ્થિત ગમે તેવી કેમ ના હોય , એક દિવસ દુખ માં હસતા રેહવાનું તમારો  સવ્ભાવ બની જશે અને પછી તમને કયારેય જીંદગી બોજ કે દુખી નહિ લાગે।જીંદગી માં દુખ ની પણ એક અલગ જ મજા છે દુઃખ આપણ ને ગણું બધું શીખવી જાય  છે.વિકટ પરીસ્થિત માં પોતાને કઈ રીતે સંભાળવી એ જો અવળી જશે તો માણસ જીંદગી માં ભટકવાનું ભૂલી જશે। ... જીંદગી ગણી જ સુંદર છે દુખો તો આવતા જ રેહશે તેનો મતલબ એ નથી કે તે દુઃખ આખી જીંદગી રેહશે બની સકે કે તે ખરાબ સમય ની પાછળ કોઈ સારો સમય અને સારૂ ભવિષ્ય છુપાયેલું હોય. જીંદગી માં જયારે જે મળે અને જે છે તે પળ ને માણી લો કાલે શું થવાનું છે તેની ખબર કોઈ ને નથી અને જો ખબર હોત તો પણ નસીબ આગળ કોઈ ને વશ નથી ચાલતો થશે એજ જે થવાનું છે તો નાહક ની ચિંતા કરી ને પોતાની આજ ની ખુશી બરબાદ કરવી।  દરેક પળ માં જીંદગી બનાવતા શીખો ખબર નહિ ક્યારે તે પળ જીંદગી એવી બની જાય કે તેના સહારે આખી જીંદગી ખુશી ના દરિયા માં તારી જઈએ। ...... જે નથી મળ્યું એનો અફસોસ કરવાને બદલે જે મળ્યું છે તેને સાચવતા શીખો। ....... જરૂરી નથી કે બગીચા માં ઉગેલા બધાં ફૂલ ભગવાન ના શરણ માં જ ચડે ગણા એવા ફૂલો હોય છે જેને માણસ ની કબર ઉપર ચડાવા પડે આનો મતલબ એ થોડી છે કે ફૂલ ઉગવાનું ભૂલી જશે। ... જીંદગી માં જે નથી મળ્યું કારણ કે તેના થી સારું કંઈક મળવાનું છે અને એક વાર આંખો બંધ કરીને વિચારી જોજો તમારી જીંદગી ની એવી કોઈ ખરાબ ઘટના વિષે એ સમયે તમને એવું થતું હશે કે જીંદગી હવે પતિ ગઈ છે પણ બીજી જ પળે એ વિચારો કે એ ઘટના પછી તમારી જીંદગી માં શું ફેરફાર આવિયા ??????? અને હું પુરા આમાં કોઈ પણ શંકા ને સ્થાન અપીય વગર કહી સકું કે એ ઘટના પછી તમારી જીંદગી ખરેખર બદલાઈ હશે અને એ પણ હકારાત્મક રીતે કંઈક વધારે સારું તમે શીખ્યા હસો અને વધારે સારું તમને મળ્યું હશે। .. જરૂર છે તો બસ થોડું સમજવાની અને પરીસ્થિત મુજબ અનુરૂપ થવાની 

જીંદગી ગણી જ સુંદર અને માણવાલાયક છે , જરા વિચારી જોવો એ લોકો વિષે જેમને ભગવાને આંખો નથી આપી છતાં પણ તે લોકો જીંદગી ને મેહસૂસ કરે છે દિલ થી જયારે આપણે તો બધું જ જોઈ શકીએ છીએ। ... આ દુનિયા ની સુંદરતા , કુદરત ની સુંદરતા અને આ બધા થી મોટી છે તો ઈશ્વર પ્રત્યેની શ્રધા તેમની મરજી વગર તો ડાળી નું પાંદડું પણ નથી હલતું જો એ ઈચ્છે તો રંક માંથી રાજા અને રાજા માંથી રંક બનાવી સકે છે। ...



"જીંદગી ને સમજવી એક વાત છે અને તેને માણવી એ બીજી વાત છે "

" જીંદગી ને પ્રેમ કરશો તો દગો મળવાનો ભય નહિ રહે "






Wednesday, 23 April 2014

Sometimes In Life You 'll Find A Special Person who Gives You A 100000000/- Happiness Without Any Calculation + - X = ... No Need This Calculation i Just Want Round Figure...

“ ACCOUNTANT LOVE “

"Love Is like A Profit & Loss Account if you have True Love Then Your Life Is On Profit Stage and if you have Not true  love then your life is loss stage.  + - X / =  % $ "



I Will CREDIT You My Love

If you Will DEBIT me your love

I Will record our romance in A JOURNAL

And POST it to the LEDGER of my heart

I will keep an ACCOUNT of our love

Based on DOUBLE -ENTRY

This way you ‘II know the BALANCE  c/d

And the AMOUNT  of our love i have for you

Our courtship is carried  out on WORKSHEET

ADJUSTING ENTRES are necessary to make our love steady

TRIAL BALANCE shows , we have meant  for  each other

Because the TOTAL  of our love ,is one and the same

CLOSING ENTRIES are made , when down the aisle we take

PROFIT & LOSS STATEMENT tells what has happened

EXPORT & IMPORT  our family relation 

Let ‘ s see our  BALANCE SHEET ,

What are our ASSETS & LIABILITIES ????

My love  Account  give me too much PROFIT

Oh , my god .... It shows a thousand of  HAPPINESS




"In Real life Account No Profit & No Loss We Just achieve A love Without Any Taxes And Custom  Duty.   "

"હાય ' રે મોંઘી થઇ મોઘવારી માનવ થયો લાચાર "


Loan Is Life .... 


આપણી રોજબરોજ ની જીંદગી માં કે આપણી આજુબાજુ ના વાતાવરણ માં અથવા ઓફીસ માં કે ઘર માં જોવા મળતી એક જ સમ્સ્યા છે પૈસા જેને જોવો તે વ્યક્તિ ફક્ત પૈસા પાછળ જ ભાગતી હોય છે ગામડા કે મોટા શહેરો માં કે મોટા વિકસિત દેશો માં જય જોઈએ ત્યાં બસ બધા ને પૈસા જ કમાવા છે. આજની યુવા પેઢી ને  પોતાની જીંદગી માં compromise નામનો શબ્દ  જોઈતો જ નથી  તેમની પોતાના જીવન માં બધા જ પ્રકાર ના શોખ પુરા કરવા છે. ચાલશે , ભાવશે,ફાવશે અને ગમશે આ શબ્દો તો જેમ કે જેમ કે ડાયનાસોર નામની પ્રજાતિ ની જેમ અલુપ્ત જ થઇ ગયા છે। ........ કોઈ વય્ક્તિ આ શબ્દો આજ ના સમય માં સમજવા તૈયાર નથી.......આજના હરીફાઈ ના યુગ માં પોતાને હરીફાઈ માં ટકાવી રાખવું ગણું જ અગરુ બની ગયું છે દેખાદેખી ના જમાના માં દરેક વય્ક્તિ ને પોતાના મોજશોખ પુરા કરવા હોય છે પરંતુ બધી જ વય્ક્તિ ઓ એટલી સક્ષમ નથી હોતી કે તે। ...... Air Conditioner વાળી ગાડી માં ફરી શકે કે પોતાના બાળકો ને higher education આપી સકે , કે મોટા બંગલા કે મોટા ફર્નીચર વાળા ફ્લેટ માં રહી સકે......... દરેક વય્ક્તિ ની જીંદગી માં સુખી રેહવું હોય છે સારો બંગલો ,ગાડી,નોકર ચાકર બધું જ મેળવું હોય છે પરંતુ આજના હરીફાઈ ના જમાના માં આ બધું મેળવવુ ગણું જ અગરુ છે એમાં પણ આજની મોંઘવારી એ સામાન્ય માણસ ની છબી ને એક ગરીબ વય્ક્તિ તરીકે પ્રદર્શી કરી છે.

સામાન્ય વય્ક્તિ ની જરૂરિયાતો સમય ની સાથે બદલાઈ છે અત્યાર ના સમય માં મધ્યમવર્ગ ગણાતા ગઈ કાલ ના કુટુંબો આજે મોજશોખ ની જીંદગી જીવવા  લોન નો સહારો લેતા થયા છે.હરીફાઈ  અને દેખાદેખી  જમાના માં ટકી રેહવા અને  આગવી ઓળખ બનાવાની  ની ઈચ્છા માં લોકો વધારે વ્યાજ  વળી લોન લઇ  ઈચ્છાઓ પૂરી  કરતાં થયા છે. આપણા સમાજ માં ત્રણ વર્ગ પ્રવર્તમાન છે.


1) અમીર વર્ગ 
2) ગરીબ વર્ગ 
3) મધ્યમ વર્ગ 

 આ ત્રણ વર્ગ હાલ માં આપણા સમાજ માં છે... આ બધા વિષે વિસ્તાર થી   જાણીશું કે ને લોન લેવા ની જરૂર શા માટે પડે છે અને શા માટે લોન એજ જીંદગી બની જાય છે ?????? લોકો જાણે છે કે જેટલી લોન લેશે તેના કરતા વધારે વ્યાજ ચૂકવું પડશે છતાં પણ લોન ની જરૂરિયાત શા માટે ઉભી થાય છે અને શું મજબૂરી હોય છે કે લોકો લોન નો સહારો લે છે ?????


1) અમીર વર્ગ  : -

     
        આપણાં સમાજ માં આ વર્ગ ના લોકો વધારે કે ઓછા એવા નહિ પણ મઘ્યમ પરમન માં જોવા મળે છે આવા લોકો એટલે કે બાપા દાદા ની જાગીર ધરાવતા અને અમેરિકા ની આવક ભોગવતો આ વર્ગ આપના સમાજ માં અમીર વર્ગ કેહવાય છે મોગી દાટ અને   Air Conditioner ગાડી માં ફરવું , Mall માં ખરીદી કરવાં જવું અને ફાઈવ સ્ટાર હોટેલ માં જમવા જવું  આ સિવાય  ઘણા બધાં મોજશોખ।........હોય છે 
આવા લોકો ને પોતાની પૈસા કયા વાપરવા એ વિષે વિચારતા હોય છે 

ગરીબ વર્ગ : - 


     આપણા સમાજ માં આ એક એવો વર્ગ છે જેને સમાજ ની કઈ પડી જ નથી આ વર્ગ છે અને આવા લોકોની સમાજ માં કોઈ માન કે મર્યાદા જેવું છે નહિ આવો વર્ગ જયારે જે મળે ત્યાં જમવા માં અને જય જગ્યા મળે ત્યાં રેહવા માં માનતો હોય છે આવા લોકો જય રહે છે તેને જુપડ પટી માં રેહતા લોકો કેહવાય છે કે જેમનો કોઈ સમાજ જ નથી હોતો બસ જેટલા દિવસ મળે તેટલા દિવસ માટે મજુરી કરવી આજ માં જીવવું કાલ ની ચિંતા કરવાની નહિ અને જયારે જય મળે ત્યાં તંબુ બાંધી ને રહી લેવું ક્યારેય પણ મોટા સપના નહિ કે મોટી રાજાશાહી થી જીવવાની ઈચ્છા નહિ બસ જે મળે તેમાં જ આવા લોકો પોતાનું ગુજરાન મજુરી કરી ને કરતા હોય છે. ના સમાજ માં મોભો કે પ્રતિષ્ટ બતાવાની ચિંતા કે ના ઘર ના હપ્તા ભરવાની ચિંતા કે ના  સામાજિક વહાવ્હારો કરવાની ચિંતા બસ જે મળે તેને તેજ સમય માટે માનવું કાલ ની ચિંતા નહિ


મધ્યમ વર્ગ : -  


   આપણા ભારત દેશ માં આ વર્ગ વિશેષ પ્રમાણ માં જોવા મળે છે100 માંથી 75 % વર્ગ છે જે મધ્યમ વર્ગ ધરવે છે। ...  આ વર્ગ માં આવતા લોકો ને સમાજ માં મોભો અને પ્રતિષ્ટ બનાવી રાખવી પડે છે. મધ્યમ વર્ગ માં રેહતા લોકો હમેશાં સંયુક્ત કુટુંબ માં રેહતા  હોવાથી ખરચા વધારે  ની ઘર ની દરેક વ્યક્તિ ની જવાબદારી કોઈ એક વ્યક્તિ  પર જ હોય છે એક વય્ક્તિ ના પગાર માં જ  આખું ઘર ચાલતું હોય છે  પણ બાળકો ને સારું ભણતર   , ગરડા માં - બાપ ની દવા , આ ઉપરાંત સમાજ ના વય્વ્હારો  સાચવવા કર્યા પછી પણ  ઈચ્છાઓ ને પૂરી કરવા માટે મધ્યમ વર્ગ  લોન  નો સહારો લેતો થયો છે  આ લોન લઇ ને તે  પૂરી કરી સકે છે અને સાથે સાથે સમાજ માં પોતાની એક આગવી પ્રતિષ્ઠા પણ બનાવી રાખે છે મુશ્કેલીઓ છતા પણ એક ,મોભા જીંદગી કેવી  જીવવી તે મધ્યમ વર્ગ બહુ જ સારી રીતે જાણે છે 


આજ ની કાળજાળ મોઘવારી માં માણસ કરી કરી ને કેટલું કરે। ... જેટલું કમાય તેના કરતાં વધારે તો લોન ના હપ્તા ચુકવવામાં જતું રહે છે પરિણામે ગરમા કરકસર કર્યા સિવાય બીજો કોઈ opetion રેહતો નથી।  આજ ની મોઘવારી એટલે એક સાંધો ત્યાં તેર તૂટે ગમે ત્યાં જાવ પણ કોઈ તાળો જ ના મળે કમાઈ કમાઈ ને કેટલું કમાવાનું ??? જેમ દિવસ જાય તેમ મોઘવારી નું જોર વધતું જાય છે આજનો માણસ કરી કરી ને સુ કરે ??? ગેસ ના બાટલા ના ભાવ વધારે , પેટ્રોલ ના ભાવ વધારે આ ઉપરાંત કરીયાણા  વસ્તુ ઓ પણ મોઘી સામાન્ય વ્યક્તિ ને તો સવારે જમ્યા હોય તો સાંજે જમવા ના ફાંફા પડી જાય। ..... ગરીબ વર્ગ તો એક સમયે કોઈ ની પાસે હાથ પણ લાંબો કરી ને પોતાનું પેટ ભરી સકે પણ મધ્યમ વર્ગ ને સમાજ માં મોભા ના કરને રતે પણ કરી નથી સકતો પરિણામે લોન જેવા SIMPLE છતા પણ ભયાનક લાગતા શબ્દ નપો સહારો લઇ ને લોન લેવા પ્રેરાય છે। .... 

હોમે લોન 
કાર લોન 
ગોલ્ડ લોન 
STUDENT લોન 
BUSINESS લોન 

મધ્યમ વર્ગ આ બધી જ લોન નો સહારો લઇ ને પોતાની જરૂરિયાત પૂરી કરે છે। ... જો ઘર લેવું હોય તો 20 વર્ષ  સુધી હપ્તા ભરવા પડે માણસ અડધી જીંદગી જ   હપ્તા માં અને આવતા મહીને કેટલો ખરચ થશે તેની ગણતરી કરવા માંજ  જતી રહે છે આ ઉપરાંત ઘર માં જો યુવાન દીકરી હોય તો તેના લગ્ન કરવા માટે બહાર વ્યાજે પૈસા લાવવા પડે અથવા તેના માટે પણ PERSONL લોન લઇ ને સમાજ માં સારું દેખાડવા અને મોભો જળવા માટે લોન નો સહારો લેવો પડે છે. મોઘવારી ની વચે મધ્યમ વર્ગ  છે। 







    



Tuesday, 22 April 2014

"જીંદગી ને જેટલી સમજવાની કોશિશ કરીશું તેટલાં જ તેમાં ઊંડા ઉતરતા જઈશું , જીંદગી ને સમજવાની નહિ પરંતુ પરિસ્થિતિ પ્રમાણે અનુરૂપ થવાની જરૂર છે "



                                                          
જીંદગી ના ગમતા અણગમતા રંગ 



"જીંદગી માં મળેલાં દુઃખ ને હસતા મુખે સ્વીકારી લેવું આના થી મોટું કૃનાત્મક વાક્ય  આ દુનિયા માં બીજું કોઈ જ નહિ હોય"



આકાશ ને આંબવાની હર ક્ષણે તાકાત રાખું છું ,મને પડકાર ના જીંદગી  હું સજ્જ મારી જાત રાખું છું,

ધીરે ધીરે  ઘટે છે સર્વ ઘટના ભીતર મારી, સતત જોયા કરું હું ને મને બાકાત રાખું છું.




જિંદગી રંગ  બદલતી રહે છે. રંગ બદલવા એ જિંદગીની ફિતરત છે. એકધારું કંઈ પણ જિંદગીને મંજૂર નથી હોતું. જિંદગીને ઓલવેઝ ચેન્જ જોઈએ છે. તમે જિંદગીના આ સતત બદલાતા મિજાજ સાથે મનમેળ કરવા તૈયાર છો? એક વ્યક્તિ એ કહ્યું હતું કે, જિંદગી તો હવા જેવી છે. પવન ક્યારે દિશા બદલે એ નક્કી હોતું નથી. આપણે એટલું જ કરવાનું હોય છે કે જ્યારે પવન બદલાય ત્યારે સઢ ફેરવી નાખવાનું હોય છે. પવન ભલે આપણા હાથની વાત નથી પણ સઢ તો આપણા હાથમાં છેને ? જે સઢ નથી બદલતા એ ક્યારેય કિનારે નથી પહોંચતા. ઘણા તો મધદરિયે અને કેટલાંક તો કિનારે આવીને ડૂબી જાય છે. જિંદગી રંગ બદલે ત્યારે આપણે પીંછી અને કેનવાસ બદલીને નવા ચિત્રની શરૂઆત કરવાની હોય છે.



જિંદગીને ક્યારેય દોષ ન દો. જિંદગીને દોષ દેવાનો કોઈ મતલબ નથી. જિંદગી ક્યારેય દોષી હોતી જ નથી. ઘણી વખત આપણે તેને પૂરી રીતે સમજતા નથી એટલે તેનો દોષ કાઢતા રહીએ છીએ. જિંદગીએ તો ક્યારેય કહ્યું જ નથી કે હું એકસરખી રહીશ. યાદ રાખો, ક્યારેય કંઈ એકસરખું રહેવાનું નથી. ન પ્રેમ, ન દોસ્તી, ન સંબંધ, ન કરિયર, ન સફળતા. બધું જ બદલાતું રહેવાનું છે. પ્રેમ માં પડેલી 2 વ્યક્તિનો પ્રેમ પણ સમય અને સંજોગો ને અનુરૂપ થઇ જાય છે જરૂરી નથી હોતું કે પેહલી વાર મળ્યા હોય તેવી લાગણી અને પ્રેમ આખી જીંદગી રેહવાનો જ। ...... ગણી વાર સમય , સંજોગ અને સંબંધ ને માન આપી ને જીવન માં ગણું બધું ખોવું પડે છે.પરિવર્તન એ જીવન નો નિયમ છે જો પરિવર્તન ના થાય તો વય્ક્તિ કદાચ હંમેશા બાળક જ બની ને રહી હોત તેને યુવા અવસથા કે પછી વૃધાવસ્થા માં ડગ માંડવાની જરૂર ના થઇ હોત.  

આપણે પણ દરરોજ થોડા થોડા બદલાતાં હોઈએ છીએ. માત્ર સારું જ નહીં, ખરાબ પણ બદલાતું રહેવાનું છે. નફરત, દુશ્મની કે નિષ્ફળતા પણ કાયમ રહેવાની નથી. આપણે બસ જે સમય હોય એને જીવી લેવાનો છે.ગણી વખત આપણી એપેક્ષા ના કારણે આપણ ને જીંદગી માં ગણું બધું સહન   કરવું પડે છે  વય્ક્તિ  અપેક્ષા રાખતી  છે ??? અપેશા વગર ની જીંદગી શા માટે આપણે નથી જીવતા ???  અપેક્ષા વગર ની જીંદગી જીવતા શીખી લઇ શું તો દુખ અને લાગણી સુ છે તેનો મતલબ આપણ ને ખબર નહિ પડે અને જીંદગી ને વધારે સમજવાની પણ જરૂર નહિ પડે।



એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું કે હું માંડ માંડ એક સરખું કરું ત્યાં બીજું તૂટી જાય છે. એક મુસીબત પૂરી ન થઈ હોય ત્યાં બીજી શરૂ થાય છે. હું થાકી ગયો છું આ બધી જંજાળથી. સંત કંઈ જ ન બોલ્યા. બાજુના ખૂણામાં એક કરોળિયો જાળું બનાવતો હતો. સંતે એક સળી લીધી અને કરોળિયાનું જાળું વીંખી નાંખ્યું. કરોળિયો દૂર સરકી ગયો. થોડી વાર પછી આવીને પાછો જાળું બનાવવા લાગ્યો. થોડી વાર પછી પાછું સંતે જાળું વીંખી નાખ્યું. સંતે કહ્યું કે આ કરોળિયો મારો મિત્ર છે, એ મારો ગુરુ છે. આજે તે જે રમત જોઈ એવી રમત અમે રોજ કરીએ છીએ. હું એનાં જાળાં વિખેરીને થાકી જાઉં છું પણ એ નવું જાળું બનાવવાથી થાકતો નથી. ક્યારેય ભાગતો નથી કે ક્યારેય મને કરડવા દોડતો નથી. એક વખત એ કરોળિયો મને સપનામાં આવ્યો. એ મારી સામે હસ્યો. મને કહ્યું કે,કર તારે જે કરવું હોય તે, હું કંઈ થાકવાનો નથી. તું તારું કર્મ કર અને હું મારું કર્મ કરીશ. તું મારી જાળ વિખેરી શકે છે પણ મારી જ જાળમાં મને ફસાવી નહીં શકે. મારી આંખ ખૂલી ત્યારે એ કરોળિયો ફરીથી ખૂણામાં એનું જાળું બનાવી રહ્યો હતો. કેવું છેને, કરોળિયો નથી થાકતો પણ માણસ થાકી જાય છે. પેલો માણસ સંતને વંદન કરીને ચાલ્યો ગયો. જતી વખતે એટલું જ બોલ્યો કે હું નહીં થાકું.

માણસે સમય સાથે લડવાનું હોય છે. સમય મુજબ બદલવાનું હોય છે. માણસ સમય મુજબ બદલાતો નથી પણ રડતો હોય છે. સખત તડકો હોય ત્યારે માણસ છાંયો શોધે છે, કાતિલ ઠંડી હોય ત્યારે માણસ તડકો શોધે છે. જિંદગીનું પણ આવું જ છે. તમારે સ્થળ,સંજોગ અને માનસિકતા બદલતાં રહેવાં પડે છે. દરેક ઘા ટટ્ટાર રહીને નથી રમાતા, કોઈક ઘા નીચા નમીને પણ ચૂકવી દેવાના હોય છે.

સમય અલગ અલગ શસ્ત્ર લઈને તમારી સામે આવે છે. તમારે પણ શસ્ત્ર સામે એવું જ શસ્ત્ર વાપરવું પડે છે. પ્રાચીન સમયની વાત છે. એક યુદ્ધવિદ્યા શીખવા માટે ઋષિના આશ્રમે ગયા. ઋષિએ શસ્ત્ર ચલાવવાનું શીખવાડયું. ગુરુએ ભાલો લીધો અને રાજકુંવરને પણ ભાલો આપ્યો. થોડી વાર બંને દાવપેચ રમ્યા. અચાનક જ ગુરુએ ભાલો મૂકીને તલવાર લઈ લીધી. રાજકુંવર ભાલાથી લડતો હતો પણ તલવાર સામે તેનો મેળ ખાતો ન હતો. અચાનક રાજકુંવરે ભાલો મૂકી તલવાર હાથમાં લઈ લીધી. ગુરુએ કહ્યું કે બસ આ જ શીખવાનું છે. યુદ્ધ હોય કે જિંદગી, સમય અને સંજોગ મુજબ તમારે શસ્ત્ર બદલવાનું હોય છે. ઠંડીમાં આપણે રેઈનકોટ પહેરતા નથી અને વરસાદમાં સ્વેટર પહેરીએ તો કોઈ મૂર્ખ સમજે. બસ આટલી વાત જે સમજી જાય છે એ ક્યારેય હારતો કે થાકતો નથી.



જિંદગી સામે સવાલ ન કરો, કારણ કે જિંદગી ખુદ જ સવાલ કરતી હોય છે. સવાલ સામે સવાલ કરવાથી જવાબ મળતો નથી. આપણે તો જિંદગીને જવાબ જ આપવાના હોય છે. જે જવાબ નથી આપતો એ જ નાપાસ થાય છે. ખોટા જવાબ સામે જિંદગીને વાંધો હોતો નથી, કારણ કે ખોટા જવાબોમાંથી જ કદાચ એક જવાબ સાચો પડવાનો છે. તમારે પાસ થવું છેને? તો જિંદગીના જવાબો આપતા રહો. જવાબો શોધતા રહી બસ એટલું જ નક્કી કરો કે જિંદગીનો સવાલ સહેલો હશે કે અઘરો હું હારવાનો કે નાપાસ થવાનો નથી, કારણ કે હું પાસ થવા જ સર્જાયો છું. તૂટી જવું મને મંજૂર નથી. જ્યાં સુધી તમે હારશો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. શરણે થઈ જનારને ગુલામી ભોગવવી પડતી હોય છે.

માણસ પોતે મક્કમ હોય ત્યાં સુધી કોઈ તાકાત તેને નબળી પાડી શકતી નથી. એક જહાજનો કેપ્ટન હતો. જિંદગી અને સફળતાનું રહસ્ય શું? એવો પ્રશ્ન એક વખત તેને પૂછવામાં આવ્યો. કેપ્ટને કહ્યું કે આ દરિયો અને મારું જહાજ જ એ રહસ્ય છે. દરિયો કેટલો વિશાળ છે? એ દરિયામાં મોજાં અને તોફાન આવતાં જ રહે છે. દરિયામાં અઢળક પાણી છે છતાં એ જહાજને ડુબાડી શકતું નથી. જહાજ ક્યારે ડૂબે એ તમને ખબર છે? જ્યારે જહાજમાં કાણું પડી જાય ત્યારે. બહારનું પાણી તમે અંદર આવવા દો તો ડૂબી જાવ. બસ, આવું જ જિંદગીનું છે. બહાર તો ઝંઝાવાત છે જ, તમારે એ ઝંઝાવાતથી ડરવાનું નથી, ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણામાં કોઈ ખામી ન રહેવી જોઈએ. આપણા જહાજમાં કાણું ન પડવું જોઈએ. માણસની મક્કમતા જ તેને જીવતો રાખે છે. જે દિવસે જરાકેય કાણું પડયું તો ડૂબવાની શરૂઆત થઈ જાય છે. તમે માત્ર તમારા જહાજની ચિંતા કરો. દરિયાની ઉપાધિ કરવાની જરૂર નથી… જેને પડકારો પ્રિય નથી, એનો પરાજય નિશ્ચિત છે. જિંદગીને પડકાર કરો કે તું તારે સવાલો કરતી રહે હું જવાબ આપવા તૈયાર જ છું, કારણ કે હું તૂટવા માટે સર્જાયો નથી.

જીંદગી માં ગણ પ્રકાર ની વ્યક્તિ ઓ મળતી હોય છે સારી , ખરાબ, પ્રેમાળ,લાગણીશીલ, practicale  કઈ વ્યક્તિ સાથે કઈ રીતે અનુકુળ થવું તે આપડી પર આધારિત છે। ... પ્રેમાળ વય્ક્તિ સાથે પ્રેમ ભર્યું વર્તન કરી સકાય , લાગણીશીલ વ્યક્તિ સાથે લાગણી માં વહી સકાય પણ કયારેય પણ Practicle વિચારો ધરાવતી વય્ક્તિ સાથે એના જેવું જ વર્તન ના કરી સકાય આવી વય્ક્તિ ઓ ને બસ જીવન માં તે પોતે જ સાચા અને સારા છે તેવી વાત સાબિત કરતા ફરે છે પણ આવી વય્ક્તિ ને કોઈ વ્યક્તિ તરફ થી લાગણી , કે પ્રેમ મળતો જ નથી સતત પોતાના દંભી અને અર્થહીન કહી સકાય તેવા વિચારો બીજા ની પર થોપી મારવા સિવાય બીજું કઈ જ કરે સકતા નથી। ... આવી વ્યક્તિ જીવન માં ગણી જ એકલી પડી જાય છે બધી જ વ્યક્તિ ઓ સાથે પોતાના અયોગ્ય વર્તન અને પોતાના માટે સાચું કહી સકાય તેવી દલીલો ને કારણે આવીં વ્યક્તિ પોતાના જીવન માં બસ બીજા ની ભૂલો ને શોધવામાજ જીંદગી વિતાવી દેતી હોય છે। ... આવી વ્યક્તિ સામે દલીલો કરવી એટલે ફોજ માં દુશમન સામે લડવું। ..... જેમ ફોજ માં દુશ્મન જય સુધી જંગ બંધ ના થાય ત્યાં સુધી લડવાનું ચાલુ રાખતા હોય છે તેમ આવી વ્યક્તિઓ પણ જીવન ના અંત સુધી પોતાના સવ્ભાવ ને જડતા પૂર્વક પકડી રાખતી હોય છે આવી વ્યક્તિ સાથે ચાલશે ,ભાવશે , ફાવશે અને ગમશે બસ ચાર શબ્દો અપનાવી ને રહીશું આવી વ્યક્તિ સાથે તો જીવન કદાચ થોડું હળવું બનતું જણાશે। ... અર્થ વગર ની દલીલો કરવાથી કોઈ જ ફાયદો થતો નથી। ... જે વય્ક્તિ સમજે તેની આગળ દલીલો કરવાની જરૂર નથી પણ જે વ્યક્તિ કઈ સમ્જ્વાજ તૈયાર નાઠું તેની આગળ દલીલ શબ્દ દરિયા ના કિનારા જેવું છે। ......... 

જીંદગી એટલે નદી માં રેહવું અને મગર થી  ડરવું એવી વાત કહી સકાય જીંદગી એ મગર ના જેવી જ  ભયાનક છે જો જીંદગી માં સારી રીતે જીવવું હોય તો તેની સાથે મનમેળ ખાઈ ને જે પણ કઈ ઘટના ઘટે તેની સ્વીકારી લેવી। .... તો જીંદગી જીવવી સરળ બની જશે। .......... 

"જીવન માં જે પણ કઈ બને છે તેને સવિકારી લો અને મુશ્કેલ પરીસ્થિત સામે થોડી લડત આપો દરેક ના જીવન માં દસકો આવે છે તે તક ને જડપી લો "


"પરિવર્તન વગર નું જીવન એ સ્થિર થયેલા પાણી જેવું છે જેમાં દુર્ગંધ આવે અને લાંબા સમય બાદ લીલ જામી જાય। .. ઈશ્વર પર ભરોસો રાખો તે જે પણ કઈ કરે છે તે સારા માટે જ કરે છે એવું વિચારી ને જીવન ને પડકાર આપો। ..."

Saturday, 19 April 2014

એક મુલાકાત 




જીવવા માટે  કરવી છે એક વાર મુલાકાત 

પછી આંખો બંધ થઇ જાય તો પરવાહ નથી

થઇ જવું છે  પ્રેમ રૂપી નાવ માં સવાર 

પછી ડૂબી જવાય તો પરવાહ નથી 

માની લીધી  છે મનથી  તને પોતાની  

હવે દુનિયા ના માને તો પણ પરવાહ નથી 

દુનિયા તો બધું જ કેહશે એ કામ જ છે તેનું 

હવે તેની નિંદા  ની કોઈ પરવાહ નથી 

જીવન રૂપી દરિયા માં ભરતી - ઓટ તો આવિયા જ કરે 

સુનામી આવે તો તેની કોઈ પરવાહ નથી..

જીવન  તો ચાલે છે ધીમી ગતિ એ 

પણ રોકાઈ જશે તો એની કોઈ પરવાહ નથી 

ભગવાને પણ ફુરસત થી લખી હશે આ મુલાકાત ને 

હવે ભગવાન પણ ભૂલી જાય તો કોઈ પરવાહ નથી 

બનાવી દેવી છે આ મુલાકાત ને સ્વર્ગ જેવી 

હવે સ્વર્ગ માં પણ જગ્યા ના મળે આ જીવ ને તો કોઈ પરવાહ નથી 


Thursday, 17 April 2014

"લાગણી એ સંબંધ અને પ્રેમ નો પર્યાય છે। ... લાગણી વગર પ્રેમ અને સંબંધ એ પર્વત વગર ની ટોચ જેવા છે. પર્વત વગર જેમ ટોચ નું કઈ અસ્તિત્વ જ નથી તેમ લાગણી વગર સબંધ કે પ્રેમ નો કોઈ અસ્તિત્વ જ નથી હોતું "

લાગણી નો દરિયો 


જીંદગી એ લાગણી પર આધારિત છે વ્યક્તિ જન્મે છે  તે પેહલા જ ઘર ની બધી જ વ્યક્તિઓ ને તેના પ્રત્યે લાગણી થવા લાગે છે.લાગણી ની વ્યખીયા આપીયે તો એક એવો સંબંધ કે જેમા  સ્વાર્થ વગર નો પ્રેમ હોય। ...... વય્ક્તિ પ્રત્યે એક પ્રકાર નું પોતાના પણું લાગતું હોય અને સામે વળી વય્ક્તિ ના દુખ ને પોતાનું દુઃખ સમજીને તેને આશ્વાસન ના બે બોલ કેહવા એટલે લાગણી . 

સામાન્ય રીતે લાગણી એ જીવન માં બધી જ વય્ક્તિઓ ને થતી હોય છે। ..... કોઈ ને પરિવાર ને વ્યક્તિઓ સાથે તો કોઈ ને મિત્રો સાથે તો કોઈ ને પાલતું પ્રાણીઓ સાથે બધી જ વય્ક્તિ લાગણી થી જોડાયેલી છે અને કદાચ આ લાગણી જ સંબંધો ને એક બીજા સાથે બાંધી રાખવાનું કામ કરે છે જો વય્ક્તિ માં કદાચ લાગણી ના હોત તો આ દુનિયા માં સંબંધો ટકાવી રાખવા મુશ્કેલ બની ગયા હોત। ... કારણ કે , દરેક વય્ક્તિ એક ય બીજી રીતે કોઈ ની તરફ થી લાગણી મેળવાની અપેક્ષા રાખતી જ હોય છે। ..... લાગણી એ એવો સુંદર એહસાસ છે કે જે ફક્ત માનવજાતિ ને જ નહિ પરંતુ જો આપને એક અઠવાડિયું કે એક મહિનો જો કુતરા કે બીજા કોઈ પાલતું પ્રાણી સાથે રહીએ તો તેને પણ આપની સાથે લાગણી નો સંબંધ બંધાઈ જાય છે। ........જેને સાથે એક વાર લાગણી થી સંબંધ જોડાય પછી ભલે ગમે તે કેમ ના થાય તે સંબંધ સોળે કળા એ ખીલી ઉઠે છે। ......... 






સવાલ છે લાગણી નો શું કયારેય એવું બની શકે ખરા કે કોઈ વય્ક્તિ ને કોઈ વય્ક્તિ માટે કઈ લાગણી જ ના હોય ?????????? અથવા કોઈ વય્ક્તિ ને લાગણી હોય પણ તે સામે વાડી વય્ક્તિ ને દેખાડી ના સહ્ક્તી હોય  ?? તો તેનો જવાબ છે હા સવાર્થરુપી આ દુનિયા માં બધું જ શક્ય છે લાગણી  વગર ની વય્ક્તિઓ પણ તમને ગણી બધી જોવા મળશે કે જેમના મનમાં બીજા લોકો માટે કોઈ પણ પ્રકાર ની લાગણી જ નથી હોતી આવી વય્ક્તિઓ પોતાના જીવન માં તો ગણી ખુશ હોય છે પરંતુ બીજાની લાગણી , બીજાનો પ્રેમ , બીજાની જીંદગી ની આવા લોકો ને કઈ પડી નથી હોતી તેઓ ને ફક્ત પોતાની શરતો  મુજબ નું જીવન જીવવું હોય છે અને તેમની નજર માં  લાગણીશીલ માણસો ની કોઈ કદર નથી હોતી આવી વય્ક્તિ ઓ પોતાના જીવન માં બહુ Practical  હોય છે। ....... લાગણી નો એહસાસ અને પ્રેમ નો એહસાસ શું છે તે તેમને ખબર જ નથી હોતી કદાચ Practical રેહવા માં તે લોકો એ તેના તરફ ધ્યાન આપવાનું વિચાર્યું જ નથી હોતું કયારેય પણ બીજા લોકો ને પોતાના practical સવ્ભાવ વિષે અર્થ વગર નું જ્ઞાન આપીયા  સિવાય આવી વ્યક્તિઓ પોતાના જીવમાં બીજું કઈ જ કરી નથી સકતી આવી વ્યક્તિઓ પોતાની સાથે જોડાયેલી બીજી વય્ક્તિઓ ની જીંદગી ને પણ વહેણ વગર ની નદી જેવી બનાવી દેતી હોય છે જેને પોતાને જ ખબર નથી હોતી  કે તેને કઈ દિશા માં  વહેવું। ............ 

એક લાગણીશીલ વય્ક્તિ ની આ દુનિયા માં કોઈ કદર કરતુ નથી.જે વય્ક્તિ ને જોવો તે બસ જીંદગી માં લાગણી અને પ્રેમ ને પાછ્ળ મૂકી ને એક દંભી અને અર્થહીન કહી શકાય તેવું જીવન જીવવા માટે બધા ને ભાષણ આપીયા કરે છે। ..... આપણા દેશ માં પણ  કંઈક આવું જ છે નેતાઓ વધારે માં વધારે મત મેળવા માટે અને જનતા ના મનમાં પોતાની Party વિશે લાગણી જન્માવા માટે જાતજાત ના નુસખા કરતા હોય છે લાખો રૂપિયા ખરચી ને જાહેરાતો આપતા હોય છે  શું કરે તો જનતા ના મનમાં લાગણી જન્મે ????? અને  તે મત આપે તો અમારી Party ને ખુરશી મળી જાય। .... આટલા પૈસા ખરચવા નો હેતુ એક જ છે ખુરશી મેળવાનો પોતાના સ્વાર્થ માટે ગમે તેમ કરી ને જનતા ના મનમાં લાગણી નો સંચાર કેમ કરવો તે આપણાં દેશ ની ભારત સરકાર ને બહુ સારી રીતે આવડે છે.

લાગણી ની વાત થાય તો પ્રેમ તો તેમાં આવે જ લાગણી વગર નો પ્રેમ એટલે પાણી વગર ની પૃથ્વી જો પૃથ્વી પર પાણી ના હોત તો  જીવસૃષ્ટિ અશક્ય હોત। .. પ્રેમ માં પણ કંઈક આવું જ હોય છે જો પ્રેમ માં લાગણી ના હોય તો તેને પ્રેમ કહી જ ના સકાય લાગણી વગર ના પ્રેમ ને ફક્ત એક આકર્ષણ જ કહી સકાય કે જે ફક્ત થોડા સમય માટે હોય અને ત્યાર બાદ ભૂલવાની જરૂર ના પડે આપોઆપ જ ભુલાઈ છે।પરંતુ જે સંબંધ માં લાગણી છે , એક પ્રકાર નું પોતાનાપણું છે , આંખો માં માસુમિયત છે  ,શબ્દો માં મીઠાશ છે ,દુખ માં પણ સાથે રેહવાનો વાયદો છે  અને ભગવાન પાસે સતત જેની ખુશી માટે પ્રાર્થના છે આવા સંબંધ ને "પ્રેમ " જેવા સુંદર શબ્દ થી જ બિરદાવી શકાય। .... જો કોઈ વય્ક્તિ માટે આપણ ને આવી કોઈ પણ લાગણી થતી હોય તો તેનો મતલબ છે કે આપણે એક એવી વય્ક્તિ ના પ્રેમ માં છીએ કે જે આપણા માટે દુનિયા ની કદાચ એક માત્ર  બધા કરતા અલગ જ (Uniqye)  વ્યક્તિ કહી સકાય







જેની સાથે લાગણી  જોડાયી હતી એ સંબંધ ને  શું નામ આપું ???

દિલ ની આ લાગણી , બહાર આવવા માટે જજુમીયા કરે છે ??

લાગણી ની સંવેદના ના આ સુર ને શું નામ આપું ????

આંખોમાં આશ,અને મનમાં હજી એક લાગણી નો એહસાસ છે.

જીવન તો ચાલે છે। ... પણ થોડાં થોડાં અંતરે રોકાઈ જાય છે તો શું કરું ???

એક  વણમાગી સલાહ આપું છુ  મિત્રો 

લાગણી ની મોહજાળ માં ફસાવા કરતાં ,

ખુશી ના દરિયા માં ડૂબી જવા માં વધારે મજા છે। ....




જયારે આપણી લાગણીઓ ને કોઈ સમજી ના સકે ત્યારે શું કરવું અને શું ના કરવું એવા વિચારમાત્ર થી જ જીંદગી થોડા થોડા અંતરે ગાડી ની જેમ break લેતી હોય છે.આવા સમયે પેહલા તો આપણે કઈ પણ વિચાર્યા વગર જ એ વય્ક્તિ સમક્ષ આપની લાગણીઓ નો ઢગલો ઠાલવી દેતા હોઈએ છીએ અને એ જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે શું તે વ્યક્તિ ને પણ એટલી જ લાગણી છે કે નહિ ???? આપણે બધાં જ લોકો આવું કરતા હોઈએ છીએ આપણ ને બસ એક જ અપેક્ષા હોય છે કે મને કોઈ સમજે , મને કોઈ સાચવે મારી લાગણીઓ ને માન આપે। ....પણ શું આ યોગ્ય છે??? પોતાની અપેક્ષાઓ , લાગણીઓ અને પોતાના નીર્ણયો  બીજા નાં પર થોપી મારવા તે કેટલું યોગ્ય છે ? ...... દરેક વય્ક્તિ ને પોતાની અપેક્ષા , લાગણી અને પોતાના વિચારો હોય છે। ... દરેક વય્ક્તિ ને સંયુક્ત રીતે વિચારવાનો હક છે। ..છતાં પણ ઘણી વાર આપણે લાગણી ના આવેગ માં આવી ને અમુક એવા નિર્ણયો લઇ લેતા હોઈએ છે કે જેમાં આપણે પોતાનું તો વિચારતા જ નથી પણ ગણી વાર એવી વ્યક્તિઓ વિષે વિચારી લેતા હોઈએ છીએ જેને આપની લગણીઓ ની કઈ કદર જ નથી હોતી આવી practical વિચારસરણી ધરવતી વય્ક્તિ પોતાની સાથે બીજા બે લોકો જીંદગી ને પણ નુક્સાસ પહોચાડી જાય છે। 

ગણી વાર એવું પણ બની જતું હોય છે કે કોઈ વય્ક્તિ ને બીજી વય્ક્તિ માટે લાગણી હોય પણ તે બતાવી ના સકતી હોય આવી વય્ક્તિઓ જયારે એકલી હોય ત્યારે પોતાની લાગણીઓ ને આંસુ રૂપે વહાવી દેતી હોય છે કદાચ જાહેર માં જે નથી સમજાવી શકતું તે જ એકાંત મળતાની સાથે જ પોતાની જાત ને સમજવું પડતું હોય છે કે વ્યક્તિ પ્રત્યે કેટલી લાગણી છે। .....






એક સમયના નજરના મેળાપથી જન્મેલો એહસાસ છે લાગણી , 

કોઇ પણ બદલાની અપેક્ષા વિના ની ફરિયાદ છે લાગણી ,

અણગમતા હાસ્ય ને ગમતા કરવાનો એહસાસ છે લાગણી ,

તેની એક ઈચ્છા પૂરી કરવા માટે તત્પર થવા માટેનો એહસાસ છે લાગણી ,

લખી રહી છું ફક્ત તારા જ સ્વપન ને સાકાર કરવાં એજ ધ્યેય છે લાગણી। ........
.
જીંદગી માં થયેલી મુલાકાત ને આભારી છું ,

જીંદગી માં લાગણી રૂપી દરિયામાં ડૂબવા કરતા ખુશીરૂપી તળાવ માં ડૂબકી લગાવી એ જ રસ્તો છે એક માત્ર। ........
જીંદગી માં જીવવા માટે જરૂરી હોય તો તે છે લાગણી નો એહસાસ ગણી વાર ગણા લોકો બીજા ને દુખ પહોચશે એમ માની ને પોતાની લાગણી ને મનમાં દબાવી દેતા હોય છે પણ શું કામ આવું કરવાની જરૂર છે લાગણીઓ ને જેટલી જકડી રાખીશું તેટલું જ જીવન જટિલ બનતું જશે લાગણીઓ ને વહેતી કરવી જોઈએ તમે જયાં સુધી કોઈ ને કંઈ કહી નહિ શકો કે તમે શું ઈચ્છો છો ત્યાં સુધી આ દુનિયા તમને નહિ સમજી સકે અને  દુનિયા ના લોકો એવું સમજશે જેમ કે તમારા માં લાગણી નામનો એહસાસ જ નથી કોઈ। ...... અને જે વ્યક્તિ સમજશે તેની સમક્ષ તમારે લાગણી બતાવાની જરૂર નહિ પડે તે વ્યક્તિ આપોઅપ જ બધું સમજી જશે. અને પ્રય્તન કરશે કે તમારી લાગણીઓ ને વધારે ઠેસ ના પહોંચે। .. 










" જો કોઈ પાલતું પ્રાણી સાથે એક અઠવાડિયું કે તેથી વધારે રેહવામાં  આવે તો તેની સાથે પણ લાગણી બંધાઈ જતી હોય છે " 


" જીંદગી ફક્ત લાગણી પર આધારિત જ છે. જે વ્યક્તિ કોઈ ની લાગણી ને માન ના આપી સકે , સમજી ન સકે તે વ્યક્તિ આપણા દેશ ના નેતા ની જેમ પોતાના જ જ્ઞાન ને જાહેરાત ધ્વારા બીજા ને વહેચતી હોય છે "


"લાગણી એ સંબંધ ની સુંદરતા ને વધારે છે અને તેને વધારે ખીલવા માં મદદ કરે છે "









Tuesday, 15 April 2014

"આવીયો ત્યારે ખાલી હાથે જશો ત્યારે ખાલી હાથે , આ જીંદગી સુધારો શું લઇ ને આવિયા હતા અને શું લઇ ને જવાના બની સકે તો જીવન ને એવું જીવો કે લોકો ફરિયાદ કરી જાય "

"પંખીડા ને આ પીંજરું જુનું જુનું લાગે બહુ સમજાવિયું તોયે પંખી નવું પીંજરું માંગે" 


જીંદગી નો અંત 









"મૃત્યુ એટલે કરેલા કર્મો અનુસાર ભગવાન ને આપવામાં આવતો વાર્ષિક હિસાબ।....."

જીવન અને મરણ એતો આ દુનિયા નો નિયમ છે જે વ્યક્તિ એ આ પૃથ્વી પર જન્મ લીધો છે તે આજે નહિ તો કાલે મૃત્યું તો પામવાની જ છે કોઈ વય્ક્તિ એવી નથી જે અભય વરદાન લઇ ને આ પૃથ્વી પર જન્મી હોય। .....જો જીંદગી માં આ જન્મ માં કઈ સારા કર્મો કર્યા હોય તો મોક્ષ મળે અથવા તો કોઈ સારા અને સંસ્કારી ગર માં જન્મ થાય. કેહવાય છે કે બાળક જયારે જન્મે છે ત્યારે તેને તેના ગયા જન્મ નું બધું દેખાતું હોય છે। .....આ તેની જીંદગી નો છેલ્લો સમય હોય છે જયારે તે તેના ગયા જન્મ વિશે વિચારતો હોય છે વિધાતા એને બધું જ સમજાવતા હોય છે કે તે ગયા જન્મ માં આટલા સારા અને એટલા ખરાબ કર્મો કર્યા હતા તો હવે તારે એના કરતા કંઈક વધારે સારું આ જન્મ માં કરવાનું છે.વિધાતા તેને પાપ અને પુણ્ય ના લેખ જોખા માં ફેરવે છે અને વય્ક્તિ મોટી થતી જાય તેમ તેમ તે એ બધું જ ભૂલી ને પોતાના વર્તમાન એટલે કે જે જીવન હાલ તેને મળ્યું છે તેને અનુરૂપ આપમેળેજ થઇ જાય છે। .







મૃત્યુ શું છે ?????????? 



શું કયારેય પણ કોઈ એ મૃત્યું ને જોયું છે ખરા ???? તે કયાંથી આવે છે ???? આપણા હુષ્ટ પૃષ્ટ શરીર માંથી અચાનક જ અથવા કોઈ બીમારી કે અકસ્માત ને કારણે અચાનક જ શરીર માં થી જીવ જતો રહે છે તેને લોકો મૃત્યું કહે છે। .......... આખરે એવું તે શું થાય છે કે જીવ જતો રહે છે અને વય્ક્તિ નું શરીર જેમ કે કાષ્ટ નું પુતળું બની જાય છે ???? અને આ જીવ જાય છે તો કયા જાય છે ? કોણ લઇ જાય છે ? આં વૈજ્ઞાનિક કારણ હજી સુધી કોઈ જ વૈજ્ઞાનિક શોધી નથી સક્યો ???? શા માટે લોકો ને મૃત્યુ નો ડર લાગે છે એકલા આવિયા હતા અને એકલા જ જવાનું છે। ...જગત ની આ મોહમાયા આહી જ રહી જશે પતિ ,પત્ની,દીકરો ,દીકરી માં- બાપ બધા જ ફકર સમશાન સુધી જ સાથે આવશે પછી તો તે પણ ભૂલી જશે। ......... ફક્ત 12 દિવસ કે 2 કે 3 મહિના બધા યાદ કરીને રડશે અને પછી બધા પોતપોતાની જીંદગી માં વ્યસ્ત બની જશે। ........ શા માટે વય્ક્તિ જીંદગી માં બધું મેળવાની લાલચ રાખે છે એક દિવસ તો આ દેહ ને માટી માં રાખ જ થાવનું છે। ......... 

વ્યક્તિ જ્યારે પોતાનાં છેલ્લાં સમયને જાણી લે છે, તો તે કઈંકને કઈંક શબ્દ કહેવાની ઈચ્છા ચોક્કસ રાખે છે. એવા જૂજ લોકો છે, જેમણે આવા સમયે કઈંજ ન કહ્યું હોય. ભારતમાં ગાંધીજીનાં છેલ્લાં શબ્દો 'હૈ રામ' પણ દુનિયાભરમાં જાણિતા છે, જોકે કાર્લ માર્ક્સ જેવી મહાન હસ્તીઓ એક અપવાદરૂપ કિસ્સો છે.











મહાન વિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિને 

મૃત્યુ પહેલા કહ્યું હતું, "હું મૃત્યુથી સહેજ પણ ડરતો નથી" (19મી એપ્રિલ, 1882)

કેટલીક દિગ્ગજ હસ્તિઓએ પણ તેમનાં છેલ્લાં સમયને પારખીને ખૂબ જ અનોખાં શબ્દો આ દુનિયાને આપ્યા છે. અહીં આવા જ સાત મહાન પુરુષોનાં છેલ્લાં શબ્દો આપણે વાંચીશું અને જાણીશું તેમનાં વીશે ટૂંકમાં.


ઈએન ફ્લેમિંગઃ-
(12મી ઓગસ્ટ, 1964)
જેમ્સ બૉન્ડ સીરીઝ લખનાર પ્રખ્યાત અંગ્રેજી લેખકે 11મી ઓગસ્ટ, 1964નાં રોજ કૈટરબરીમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવરને કહ્યું, "અગવડતા માટે માફી માંગું છું, તમે લોકો કેવી રીતે રસ્તા પરનો ટ્રાફિક હેન્ડલ કરી લો છો"

નાસ્ત્રોદૉમ્સઃ-
(2જી જુલાઈ, 1566)
"તમે મને સૂર્યોદય થતા-થતા જીવિત નહીં જોઈ શકો"


કાર્લ માર્ક્સઃ-

(14મી માર્ચ, 1883)
"ગેટ આઉટ. છેલ્લાં શબ્દો તે મૂરખાઓ માટે હોય છે, જેમણે જિંદગીભર કઈંજ ન કહ્યું હોય"
કાર્લ માર્ક્સે આ શબ્દો તેમના નોકરને કહ્યાં હતા, જેમણે કાર્લ માર્ક્સને કઈંક છેલ્લાં શબ્દો કહેવા માટે કહ્યું હતું.

વુડરો વિલ્સનઃ

(1924)
''આઈ એમ રેડી'' (અમેરિકન રાષ્ટ્રપતિ)


વિન્સટન ચર્ચિલઃ-
(24મી જાન્યૂઆરી, 1965)

''હું બધાથી ખુબ જ ધરાઈ ગયો છું''
આ શબ્દો કહ્યાં બાદ તેઓ 9 દિવસો સુધી કોમામાં રહ્યાં પછી આ દુનિયામાંથી ચાલી ગયા.


વાલ્ટેયર (મહાન દાર્શનિક)
(30મી મૈ, 1788)
"ધ ફ્લેમ્સ ઑલરેડી", ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોતાની પથારી પાસે પ્રજ્વલિત દીપક જોઈને તેમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

શ્રી ગોવિંદલાલ પંચાલ (ભગત)

ગોવિંદ લાલ પંચાલ એ તેમના મૃત્યુ ના થોડાક સમય પેહલા કહ્યું હતું કે મારે જયારે ભગવાન ના ગર નું તેડું આવે ત્યારે મારો આખો પરિવાર મારી નજર સામે જ હોવો જોઈએ અને બન્યું પણ એવું શરદ પૂનમ ની રાત્રે લાંબી માંદગી બાદ તેમનું અવસાન થયું તેમની ઈચ્છા પ્રમાણે તેમનો આખો પરિવાર પંખી નો માળો તેમની આજુ બાજુ હતો ત્યારે તે ચિરનિદ્રામાં માં પોઢી ગયા.


"સમય મારો સાધજે વહાલા કરું હું કાલા વહાલ ,અંત સમય આવશે ત્યારે હારી બેસું હું હમ,
અંત સમય આવશે ત્યારે નહિ રહે દેહ નું ભાન , કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે છુટશે જીવન દોર "


Sunday, 13 April 2014

" જીંદગી રૂપી દરિયા માં આંખોમાં આંસુ રૂપી ભરતી અને ઓટ તો આવિયા જ કરે , જરૂર છે તો બસ તેને આંખો માં છુપાઈ દેવાની જેથી દરિયા ની જેમ તે રૌદ્ર રૂપ ધારણ ના કરી લે.... "

નયન નું રહસ્ય 


" સ્વાર્થ રૂપી આ જીંદગી માં પ્રેમભરી એક નજર મળે તો બસ છે...... છે હજારો લોકો આ દુનિયા માં છતાં પણ આ આંખો માં સમાઈ જવા વાડી વય્ક્તિ મળે તો બસ છે "

કહેવાય છે કે વ્યક્તિ નું સૌંદર્ય તેની આંખો પરથી જળકે છે.અને વ્યક્તિ ની જીંદગી નું રહસ્ય પણ તેની આંખો માં જ છુપાયેલું હોય છે. આંખ એ આપણા શરીર નું સૌ થી મહત્વ નું અને સૌ થી કોમળ અંગ છે.નયન ધ્વારા જાણી સકાય કે વય્ક્તિ કેવા સવ્ભાવ ની છે વય્ક્તિ ની આંખો પરથી તેનું વ્યક્તિત્વ દેખાઈ આવે છે। ..અને ગણી વાર જે વાત શબ્દો થી કહી નથી સકતી તે આંખો પળવાર માં જ ગણું બધું કહી દેતી હોય છે.જે વાત આખો થી થઇ શક્તિ હોય તે કદાચ શબ્દો પર નિર્ધારિત નથી હોતી

આંખ વિષે ગણા બધા કવિઓ એ પણ ગણું બધું કહ્યું છે અત્યારસુધી તેની સુંદરતા માંથી ગણા બધા કાવ્યો ઉદભવ્યા છે। .....અને કદાચ કવિઓ ની રચના પાછળ નું કારણ પણ આ રહસ્ય થી ભરેલા નયનો જ હોઈ શકે। ............ સામાન્ય રીતે પુરુષો ની સરખામણી માં સ્ત્રી ઓ માં આંખ નું સૌંદય વિશેષ જોવા મળે છે કોઈ અલગ અલગ કલર ની આખો હોય છે કોઈ ની ભૂરી તો કોઈ કાળી તો કોઈ ની લીલા રંગ ની આગના બધા પ્રકાર ની આખો  ધરાવતા લોકો જોવા મળે છે અને આ પ્રમાણે એ અલગ એમના જીવન માં પણ અલગ  પ્રકારના રહસ્યો જોવા મળે છે।



  • ભૂરી આખો :    




ભૂરી આખો ધરાવતી વય્ક્તિ સામાન્ય કરતા હોશિયાર અને સવ્ભાવ માં તીક્ષણ પ્રત્યાઘાતી હોય છે આવી વય્ક્તિઓ કયારેય પણ ભરોસા લાયક હોતી નથી, તે હમેશા પોતાના સાથે રહેતી વ્યક્તિ સાથે દાવપેચ લડતા હોય છે  


  • કાળી આંખો :



કાળી આંખો સામાન્ય રીતે બધી જ વ્યક્તિઓ ની હોય છે. આવી આંખો વાળી વ્યક્તિઓ હમેશા બીજાના માટે કઈક કરી છુટવાની અને ત્યજી દેવાની ભાવના ધરવતી હોય છે ગણી એવી ફિલ્મો માં પણ ગીત માં કાળી આંખો નો ઉલ્લેખ કરવામાં આવે છે. કાળી આંખ ધરાવતી વય્ક્તિ અત્યંત સંવદેનશીલ અને લાગણીશીલ હોય છે. આવી વ્યક્તિ ની આંખ ના પલકારા માં બધું જ સમજી જવાય કે તે અત્યારે કઈ પરિસ્થિતિ માં થી પસાર થઇ રહી છે.






  • લીલા રંગ ની આંખો : 




લીલા રંગ ની આંખો ધરવતી વ્યક્તિ બધા કરતા અલગ હોય છે આવી વ્યક્તિ માં સામાન્ય વય્ક્તિ કરતા ગણી જ વધારે સમજદારી અને આવડત હોય છે. આવી આંખો ધરવતી વ્યક્તિ તેની જીંદગી માં બધું ગણી  જડપ થી અને ઓછી મેહનત થી હાસિલ કરી લે છે આવી આખો કોઈ વ્યક્તિ ને જલ્દી થી પોતાના તરફ આકર્ષિત કરે છે પ્રમાણ માં સામાન્ય વય્ક્તિ કરતા વધારે જડપ થી જીવન માં આગળ વધે છે આવી વ્યક્તિ ઓ.... આવી વ્યક્તિ ની આખો માં એક અજબ પ્રકાર નું રહસ્ય છુપાયેલું હોય છે તે હમેશા એવું બતાવે છે કે બધું જ બરાબર છે જે કદાચ હકીકત કૈક અલગ પણ હોઈ સકે.

પ્રેમ માં પડેલા બે વ્યક્તિઓ વચે પ્રેમ આંખો થી જ શરુ થઇ ને દિલ માં ઉતરે છે। ..અને તેનો અંત પણ આંખ દ્વારા નીકળેલા આંસુ થી જ આવે છે પ્રેમ એક ખુબ જ સુંદર એહસાસ  છે જે વ્યક્તિ ને પ્રેમ કરતા હોઈએ તેનો ચેહરો નજર સામે આવતા જ દિલ ને જાણે કે એક આહલાદક શાંતિ મળી હોવાનો અનુભવ થાય છે। ..... અને આ એહસાસ આખો થી જ દિલ માં ઉતરે છે.આંખ માં  નાખવામાં  આવતું કાજળ સ્ત્રી ઓ ની સુંદરતા માં તો  વધારો કરે જ છે સાથે સાથે પ્રેમ માં પડેલી વય્ક્તિ ને વધારે આકર્ષિત  કરે છે.






કહેવાય છે કે પ્રેમ એ હોઠ પર આવેલા સ્મિત પરથી થાય છે। ...આંખો દ્વારા તે દિલ માં ઉતરે છે અને તેનો અંત એ પણ આંખો થી જ આવે છે।  


પ્રેમ માં આંખો માંથી પડેલું દરેક ટીપું જાણે કે પૂછતું હોય કે આ સુ થઇ ગયું ???? અને જવાબ માં આપને ફક્ત રૂમાલ થી એ આંસુ ને પ્રસરાવી દઈએ છીએ કોઈ પણ પ્રકાર નો જવાબ આપ્યા વગર જ। 






એક બહુ જ લોકપ્રિય શાયરી છે તેમાં આંખો સવાલ કરતી જોવા મળે છે। ..........

                     
             હમ રો રહે થે ઉનકી યાદ મેં લેકિન એ ક્યાં। .........
                          
            હમારે આંખો કે આંસુ હી હંમે પૂછ બેઠે હંમે રોજ રોજ કયું બુલાતે હો ??????? 




ભગવાને આંખો કેવી રહસ્યમય રીતે બનાવી છે ???????


  

જયારે તે ખુલે છે તો ખુશી બની જાય છે.............

જયારે પલકારો નમાવે છે તો મર્યાદા બની જાય છે। ..........

જયારે ખુલી ને ફરી બંધ થઇ જાય તો અદા કેહવાય છે। .........

નીચી નમી ને ફરી ઉચી ઉઠે નજર તો ભૂલ બની જાય છે। ........

જયારે આંખો ખુલે છે તો તે દુનિયા તેને રડાવી દેછે। .........

અને જયારે તે બંધ થાય છે ત્યારે તે દુનિયા ને રડાવી દેછે। ..........





જીંદગી માં ગણું બધું દુખ  હોવા છતાં પણ આંખો થી તે દુખ ને છુપાવી ને જીંદગી ગણ બધા લોકો જીવતા હોય છે મનુષ્ય ના જીવન માં દુખ ગણું જ હોય છે છતાં પણ આખો તે દુખ ને દિલ ના એક ખૂણા માં   સાચવી રાખી ને તે સમય ને નજર માં કેદ કરી દેતી હોય છે। ...... આંખ એ સુંદરતા અને મર્યાદાનું પ્રતિક માનવા માં આવે છે ગણી  આપણે વિચારતા કેહતા હોઈએ છીએ કે આંખ ને એક વાર જે  જ ગયું બસ। .....એ પછી અપન ને બીજું કઈ ગમતું જ નથી અહી  છે એક વાર નજર ને નજર મળે એટલે તે નજર બીજી કોઈ જગ્યા એ મળે જ નહિ એક આજ રહસ્ય છે આંખ નું।  






"તારી આંખો થી મારી આખો મળી , ખબર નહિ શું રમત રમાઈ આંખો વચ્ચે કે આંખો પણ જુકી ગઈ તારી આંખો ના તેજ થી " 




Sunday, 6 April 2014

We Are Always Fight With God .... Because Our Exception Is too much high ...

Why People Are Always Doing Fighting ?????????????


When the people in your family are fighting, it's hard to figure out what to do. You may be feeling sad, ashamed, or even angry when it happens. Whatever your feelings are, what you probably want most is for the fighting to stop.






You're wrong!"

"Be quiet!"

I Am Right .... You Are Wrong ...

"Stop it!"

"I hate you!"

“Why You Always Blame Me .... ??

“Please leave me Alone “

“Its Not Possible To Change My Self “

Please ...... Don’t Tell About That .... .

I Can’t Do It ...


We Are Always Saying Above Kind Of Sentence .... To Our Family , Friends And Our Colleagues But why we are always saying ????????????

When Your Parents Fight

It can be pretty tough when your parents or stepparents are fighting. Remember, even people who love each other fight sometimes. And just because they fight doesn't mean they're going to stay mad for long or that they're going to get a divorce.
It's natural for people who live together and spend a lot of time with each other to sometimes disagree and lose their tempers. Just think of the last time you and your brother or sister got into a fight. You didn't really mean all those things you said, did you? In the end, you probably made up. The same goes for parents.




If you get really upset when your parents fight, you might want to talk to them about your feelings. Sometimes, parents don't realize that their arguing makes kids feel upset. If you tell them how you feel, they'll probably try to stop or at least explain to you why they are disagreeing.
When we fight, we typically enter the ring with our child tree. We are angry and we have a loss of control. However, in healthy fighting, we must say to the child tree, "You have no capacity to help me here, so you stay behind and I will step forward with my adult tree, the part of me that can navigate conflict."
We move our attitude from all or nothing to realistically accepting the foibles and failures of others without trying to convert them. This requires both planning and empathic communication. Yes, I'm actually telling you to plan your fight.


Life Is A beautiful Struggle And Fight .... If You Win Then Life Is Your But If You Lose Then Life Is West..